Gujarat News Desk
English (United Kingdom)
Home About Us Contact Us Archive
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES


Ahmedabad
India
05.09.2010 - 17:09 - 23:09
Sunday Rain from west-southwest
2.8 m/s
1.4 mm
28°C
Rain, 2.8 m/s, West-southwest, Light breeze. 1.4 mm. 1001.8 hPa
Weather forecast from yr.no

Who will win Kanpur test ?
 

જામનગરમાં ૨૪ કલાકમાં ૧૯ ઈંચ PDF Print E-mail
Written by Administrator   
Wednesday, 28 July 2010 02:53
There are no translations available.

આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. મંગળવારે બપોરે ૪ વાગ્યા સુધીમાં પોરબંદર શહેર અને કુતિયાણામાં ચાર-ચાર ઇંચ જ્યારે રાણાવાવમાં પાંચ ઇંચ વરસાદ થયો હતો. બરડા પંથકમાં આઠ ઇંચ સુધીનો વધુ વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે. જુનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો અને ઝાપટાંથી માંડી અઢી ઇંચ સુધીનો વરસાદ પડી ગયો હતો. સૌથી વધુ માણાવદર પંથકમાં ૬૬ મી.મી. પાણી પડ્યું હતું. જ્યારે વંથલીમાં ૬૩ મી.મી. વરસાદ થયો હતો. અન્ય વિસ્તારોમાં ઝાપટાંથી માંડી સવા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

અમરેલી પંથકમાં જાફરાબાદ, ધારી, બાબરા અને ખાંભામાં ઝાપટાં પડ્યા હતા. જ્યારે ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારે મેઘરાજાએ ખમૈયા કર્યા હતા.



રાજકોટ શહેર અને જિલ્લામાં પણ છુટાછવાયા સ્થળે ઝરમર વરસાદ થયો હતો. રાજકોટ શહેરમાં મંગળવારે બપોરે ૪ વાગ્યા સુધીમાં માત્ર ૩ મી.મી. અને ઉપલેટામાં ૬ મી.મી. નોંધાયો હતો.



પોરબંદર, જામનગર અને કચ્છના ૧૫ ડેમ ઓવરફલો -સોમવાર રાતથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લાના પંદર ડેમ ઓવરફલો થયા હોવાના અહેવાલ મળે છે. પોરબંદર શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ફોદાળા ઉપરાંત સોરઠી અને ડાયમીણસાર પણ છલકાઇ ગયા હતા. જ્યારે વર્તુ-૨ ડેમના ચાર દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. ભાદર ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલી નાખવામાં આવ્યો છે. કચ્છમાં પણ છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદને કારણે નાની સિંચાઇ હેઠળના છ ડેમ છલોછલ થઇ ગયા હોવાનું જાણવા મળે છે.



કચ્છમાં નદીમાં તણાઇ જતાં વધુ બે યુવાનનાં મોત -કચ્છમાં પડેલા ભારે વરસાદે સોમવારે આઠ વ્યક્તિનો ભોગ લીધો હતો. દરમિયાન મંગળવારે પણ બે યુવાનો નદીના પૂરમાં તણાઇ જતાં મોતને ભેટ્યા હતા. અંજારના જરુ ગામ પાસે નદીમાં આવેલું પૂર જોવા ગયેલો મૂળ કર્ણાટકનો મોન્ટેસ બસપા ગુગડી નામનો યુવાન તણાઇ ગયો હતો. જ્યારે ગાંધીધામ તાલુકાના ગળપાતર ગામની સીમમાં આવેલી સાંગ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ સમયે ચાર યુવાનો માનવ સાંકળ રચીને પૂરના પાણીમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ચારેય તણાયા હતા. જો કે ત્રણ યુવાનો બચી ગયા હતા. જો કે મનોજ જગદીશભાઇ શર્મા નામનો ૩૦ વર્ષના યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું.



જામનગરમાં ૨૪ કલાકમાં ૧૯ ઈંચ જેટલું પાણી વરસી જતાં માર્ગો તળાવમાં ફેરવાઈ ગયા હતા



 માંડવી ૧૯ - જામનગર ૧૯
અંજાર ૭
ભચાઉ ૮ઈંચ
કલ્યાણપુર ૫ઈંચ
ખંભાળિયા ૫ઈંચ
લાલપુર ૫ઈંચ
જામજોધપુર ૫ઈંચ
અબડાસા ૫- મુંદ્રા ૫
ભાણવડ ૫
જોડિયા ૫ 
 ગાંધીધામ ૪

 

Copyright © 2009 Gujarat News Desk. All Rights Reserved Website Designed By : Alakmalak Technologies