Gujarat News Desk
English (United Kingdom)
Home About Us Contact Us Archive
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES


Ahmedabad
India
05.09.2010 - 17:09 - 23:09
Sunday Rain from west-southwest
2.8 m/s
1.4 mm
28°C
Rain, 2.8 m/s, West-southwest, Light breeze. 1.4 mm. 1001.8 hPa
Weather forecast from yr.no

Who will win Kanpur test ?
 

અમિત શાહ સહિતના આરોપીઓ ફરતે સકિંજો વધુ જડબેસલાક PDF Print E-mail
Written by Administrator   
Wednesday, 28 July 2010 02:43
There are no translations available.



સોહરાબુદ્દીકાંડમાં ડો. નરેન્દ્ર અમીનની તાજના સાક્ષી બનવાની અરજીથી પોતાના કારનામાનો પર્દાફાશ થઈ જશે તેવા ભયથી વણઝારા સહિતના જેલમાં રહેલા આરોપીઓએ અમીનની અરજીની સુનાવણી થાય તે પૂર્વે તેમને સાંભળવા કોર્ટમાં અરજી કરી છે.

જ્યારે ડો. અમીને તાજના સાક્ષી બનવા માટે કરેલી મહત્વની અરજીની સુનાવણી ૩ ઓગસ્ટ પર મુલતવી રહી છે. સીબીઆઇએ મંગળવારે સોહરાબુદ્દીન અને કૌસરબીની હત્યા કરાઈ તે પૂર્વે તેમને જ્યાં રાખવામાં આવ્યાં હતાં તે અમદાવાદ પાસેના અર્હમ્ ફાર્મહાઉસના માલિક રાજુભાઈ જીરાવાલાની ધરપકડ કરાઈ છે. દરમિયાનમાં સીબીઆઈ બુધવારથી ત્રણ દિવસ માટે સાબરમતી જેલમાં જ અમિત શાહની પૂછપરછ કરશે.

આ માટે એક અલગ ટીમ બનાવાઈ છે. દેશભરમાં ખળભળાટ મચાવી દેનારા સોહરાબુદ્દીનકાંડમાં અમિત શાહ સહિતના આરોપીઓ ફરતે સકિંજો વધુ જડબેસલાક થઈ રહ્યો છે. સીબીઆઇ સુપ્રીમ કોર્ટમાં ૩૧મી જુલાઈ સુધીમાં અહેવાલ આપે તે પૂર્વે કાનૂની રીતે એક પછી એક પત્તાં ખોલી રહી છે.

અમિત શાહ, અભય ચુડાસમા અને વણઝારા સહિતના આરોપીઓ સામે આંચકાજનક બાબત એ છે કે તેમની સામે કહેવાતા ગુનાની અનેક બાબતો સ્ટિંગ ઓપરેશન કે રેકોર્ડિંગ સ્વરૂપે બહાર આવી રહી છે, જે તેમની સામે મહત્વનો પુરાવો સાબિત થઈ શકે છે. રાજસ્થાનમાં માર્બલ પાસેથી સોહરાબુદ્દીન ખંડણી વસૂલતો હતો તે પછી તેનું એન્કાઉન્ટર કરવા માટે ગુજરાતમાં સોપારી અપાઇ હતી. આ માટે તેને ગુજરાતમાં ગોળીબાર કરવા કહેવાયું હતું.

આ મામલે પણ અમિત શાહનું નામ મુખ્ય કાવતરાખોરમાંના એક તરીકે ચાર્જશીટમાં હોવાનું સ્પષ્ટ થઇ જવા પામ્યું છે. અમીન દ્વારા તાજના સાક્ષી બનવા માટે અરજી અપાતાં વણઝારા સહિત આઠ આરોપીઓમાં ખળભળાટ મચી ગયો છે. અમીન તમામ હકીકતથી વાકેફ હોવાનું મનાય છે.

એટલું જ નહીં તેમની પાસે પુરાવા હોવાની પણ શક્યતા છે. જો તેઓ તાજના સાક્ષી બની જાય તો સમગ્ર કાવતરાની જાણકારી તેઓ સીબીઆઇને આપી શકે છે. આ સંજોગોમાં વણઝારા સહિતના આરોપીઓએ સાંભળ્યા સિવાય અમીનને આ કેસમાં માફી આપવાનો નિર્ણય ન કરવા સીબીઆઇ કોર્ટમાં અરજી કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમીનને સમજાવવા માટે એક આઇપીએસ અધિકારી અને વકીલ આજે જેલમાં પણ પહોંચી ગયા હતા.

બીજીતરફ તાજના સાક્ષી બનવા માટે અરજી કરનારા ડો. અમીનની જેલ બદલવાની માગણી કોર્ટે ફગાવી દીધી છે. જો કે જેલ સત્તાવાળાઓએ તેમને વધુ સુરક્ષા પૂરી પાડવામાં આવશે તેવી ખાતરી આપી છે.

સીબીઆઇએ આજે કોબા પાસેના અર્હમ્ ફાર્મના માલિક રાજુ જીરાવાલાની ધરપકડ કરી સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. જીરાવાલાની રિમાન્ડ અને જામીનઅરજી કોર્ટે ફગાવી દીધી છે. તેઓ સાબરમતીના ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર જીરાવાલાના ભાઈ થાય છે. સીબીઆઇ દ્વારા અજય પટેલ અને યશપાલ ચૂડાસમા હાજર નહીં થાય તો તેમની મિલકતો જપ્ત કરવા પણ કાર્યવાહી શરૂ કરાઇ છે.

દરમિયાન સીબીઆઇએ અમદાવાદના પૂર્વ પોલીસ કમિશનર ઓ. પી. માથુરને હાજર થવામાંથી એક સપ્તાહ જેટલી મુદત આપતાં તેમને રાહત થઈ છે. માથુરે તેમની માતા બીમાર અને રાજસ્થાનમાં હોવાથી આગામી ગુરુવારે હાજર થશે તેવી જાણ સીબીઆઇને કરી હતી, પરંતુ સીબીઆઇના અધિકારીઓ પણ દિલ્હી જઈ રહ્યા હોવાથી હવે ઓગસ્ટ માસમાં જ માથુરની પૂછપરછ થાય તેવી શક્યતા છે. જો કે માથુરની ભૂમિકાને જોતાં તેમના પર ધરપકડનું સંકટ તોળાઈ રહ્યું છે.

અમિત શાહના રાજીનામા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યકક્ષાનું ગૃહ ખાતુ કોઇને આપ્યું નથી . તે સિવાયના ખાતા અન્ય મંત્રીને સોંપવામાં આવ્યા છે.

 

Copyright © 2009 Gujarat News Desk. All Rights Reserved Website Designed By : Alakmalak Technologies