Gujarat News Desk
English (United Kingdom)
Home About Us Contact Us Archive
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES
  • GUJARAT NEWS IMAGES


Ahmedabad
India
05.09.2010 - 17:09 - 23:09
Sunday Rain from west-southwest
2.8 m/s
1.4 mm
28°C
Rain, 2.8 m/s, West-southwest, Light breeze. 1.4 mm. 1001.8 hPa
Weather forecast from yr.no

Who will win Kanpur test ?
 

બે ટ્રેન વચ્ચે અકસ્માત - 60 લોકો માર્યાં ગયા PDF Print E-mail
Written by Administrator   
Monday, 19 July 2010 12:54
There are no translations available.

રવિવાર રાત્રે પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લાના સૈંથિયા રેલ્વે સ્ટેશન નજીક બે ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 60 લોકો માર્યાં ગયા છે અને 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની ખબર છે. આ ઘટનામાં ઉત્તર બંગ એક્સપ્રેસના ડ્રાઈવરનું મોત નિપજ્યું છે. નજીકની મેડિકલ ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે.

સુત્રોના જણાવ્યાં અનુસાર પશ્ચિમ બંગાળમાં બે પેસેન્જર ટ્રેનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રેને બીજી ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. આ ઘટના રાત્રે બે વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાની વિગત એવી છે કે, વનાંચલ એક્સપ્રેસ જ્યારે સ્ટેશન પર ઉભી હતી ત્યારે પાછળથી ઉત્તર બંગા એક્સપ્રેસે તેને ટક્કર મારી હતી. વનાચંલ એક્સપ્રેસ ભાગલપુરથી રાંચી જઈ રહી હતી અને ઉત્તર બંગા એક્સપ્રેસ બિહારથી સિયાલદાહ જઈ રહી હતી.

હાલમાં બચાવ કામગીરી માટે ઘટનાસ્થળ પર ત્રણ ટ્રેનો રવાના કરી દેવામાં આવી છે તેમજ મેડિકલ ટીમ અને ફાયર બ્રિગેડ ટીમે પણ ઘટના સ્થળ પર પહોંચી બચાવ કામગીરી ચાલુ કરી દીધી છે. ટક્કરથી ટ્રેનના ત્રણ ડબ્બા સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ગયાં છે અને એક ડબ્બો તો સ્ટેશનના ઓવરબ્રિઝ સુધી પહોંચ્યો છે. આ સ્ટેશન હાવડાથી લગભગ 200 કિલોમીટર દુર છે. રેલ્વમંત્રી મમતા બેનરજી પણ ઘટનાસ્થળે આવવા માટે રવાના થઈ ગયા છે.


સુત્રોના જણાવ્યાં અનુસાર ટ્રેનના ડબ્બામાં હજુ પણ ઘણાં લોકો ફસાયેલા છે. આવામાં મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યામાં વધવાની આશંકા છે. બચાવ માટે ત્રણ ટ્રેનો રવાના થઈ ગઈ છે. રેલ્વે અધિકારીએ જણાવ્યું હતું કે નજીકની મેડિકલ ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે.


આ ઘટનામાં રેલવેની મોટી લાપરવાહીની વાત જાણવા મળી છે. સૌથી મોટો સવાલ એ છે કે બે ટ્રેન એક જ ટ્રેક પર અને એક જ સમયે કેવી રીતે આવી. રેલ્વે અધિકારી આ અંગે કંઈક કહેવા માંગતા નથી.

હેલ્પ લાઈન નંબર: -

કોલકત્તા - 033 - 23503537
રાંચી - 0651 - 2460488

 

Copyright © 2009 Gujarat News Desk. All Rights Reserved Website Designed By : Alakmalak Technologies