|
સીઆરપીએફ કેમ્પમાં નશામાં ઘૂત એક જવાને સાત સાથીઓને મોતને ઘાટ ઉતાર્યા |
|
|
|
|
Written by Administrator
|
|
Saturday, 17 July 2010 06:59 |
|
There are no translations available.
ઝારખંડના સરાયકેલા-ખરસાંવા જિલ્લામાં સીઆરપીએફ કેમ્પમાં નશામાં ઘૂત એક જવાને પોતાના સાત સાથીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. નશામાં ઘૂત હરવિંદરસિંહ નામનો આ જવાન અમૃતસરનો રહેવાશી છે. આ ગાળીબારમાં સીઆરપીએફના એક જવાનની હાલત ગંભીર છે, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે.
સરાયકેલરા-ખરસાંવા જિલ્લાના અધિકારીએ ઘટનાની પુષ્ટિ આપી મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના ગત્ રાત્રી દરમિયાનની છે. જેની જાણકારી લોકોને આજે સવારી મળી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
|